આપ જાણો છો તેમ વર્તમાન યુગમાં વ્યાપેલી અરાજકતા, સંધર્ષ, અસંતોષ, આતંકવાદ અને જીવન મૂલ્યોના હ્રાસના મૂળમાં ગાંધી-વિચારધારાથી આપણું વધી ગયેલું અંતર છે. તંદુરસ્ત પરિવાર, સમાજ, દેશ અને દુનિયાના નવનિર્માણ માટે આજે પણ ગાંધી વિચારધારા સંપૂર્ણપણે સમર્થ છે. જ્યાં જરૂર જણાય ત્યાં સારા-નરસાપણાનો વિવેક જાળવીને આપણે સૌ આજે પણ ગાંધી વિચારધારાને પૂર્ણપણે કે સંજોગો અનુસાર આંશિક રીતે પણ અપનાવી શકીએ છીએ. પાણીથી ભરાઇ ગયેલા હોજમાં આપણે પોતે તો અત્તરનું એક ટીપું નાંખીએ. એકમાંથી અનેક ટીપાં ભેગા થઇ સંકળાઇને માળા બનશે અને ચોતરફ સુગંધનું વાતાવરણ સર્જાશે. ગાંધી વિચારના બીજને આપણા દૈનિક જીવનમાં, એકબીજાની સાથેના વ્યવહાર-વર્તનમાં વાવીએ. સમય જતાં એનું વટવ્રુક્ષમાં રૂપાંતર થસે. એક બીજ હજ્જરો-લાખો લીલાછમ પાંદડાઓનું સર્જન કરશે. વધારે નહીં તો થોડોક સમય પણ આ વિચાર પ્રત્યે ગંભીર થઇએ. આપણે, આપણો પરિવાર, આપણો સમાજ અને આપણો દેશ આવનારા નકારાત્મક આક્રમણોથી બચી શકશે. આ નાનકડા વિચારબિંદુની આસપાસ જ ‘ગાંધી યુથ ક્લબ’ની પ્રવ્રુત્તિઓનું આયોજન કંડારાયેલું છે.આપ આવો ટીપુ બનીને, અમારી સાથે જોડાઓ અને
READ MORE